Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
જો તમે રાજી હોવ તો તમારા જીવનની દરેક ક્ષણ એક શાનદાર અનુભવ હોઈ શકે છે. ખાલી શ્વાસ અંદર લેવો ને બહાર કાઢવો એક જોરદાર લવ અફેર બની શકે છે.
કંઇક અલગ બનવાની ઈચ્છામાં તમે પોતાને બાકીના અસ્તિત્વથી અલગ કરી દો છો. અને પછી તમે એકલતાની ફરિયાદ કરો છો.
જો તમે ઈચ્છતા હોવ કે તમારો સંબંધ સારી રીતે ચાલે તો પોતાને સતત યાદ અપાવો કે બીજી વ્યક્તિ તમારા કરતા વધુ મહત્ત્વની છે.
આમ જોઈએ તો જીવનમાં કોઈ સાચો નિર્ણય નથી. જો તમે એક નિર્ણય લો અને તમારું બધું જ તેમાં રેડી દો, તો તે શાનદાર નિર્ણય નીવડશે.
કોઈ પણ વ્યક્તિ માટે, તેઓ જે પણ કરી રહ્યા હોય તેમાં, કૃપા વિના સફળતા નહિ મળે.
જો તમારું જીવન તમારા માટે મહત્ત્વનું હોય તો શું તમારે જીવનના મૂળની ખોજ ન કરવી જોઈએ.
તમે જીવનમાં જે મહેનત કરો તે હાડમારી વાળી નહિ પણ પ્રેમ અને આનંદ વાળી હોય તેવી કામના.
કોઈને આદરની દ્રષ્ટિએ ન જુઓ - કોઈને હીનતાની દ્રષ્ટિએ ન જુઓ. જ્યારે તમે બધાને તેઓ જેવા છે તેમ જોશો ત્યારે તમે જીવનમાંથી અસરકારક રીતે પસાર થઈ શકશો.
જો તમારી માનવતા છલકાઈ જાય તો દિવ્યતા તમને ગોતવા આવશે.
સત્ય છુપાયેલું નથી - તમે તેનાથી છુપાઈ રહ્યા છો.
મૃત્યુને અવગણવું એ સૌથી મોટું અજ્ઞાન છે.
જો પ્રેમ, આનંદ અને પરમાનંદના આંસુઓએ તમને ભીંજવ્યા નથી, તો તમે હજી જીવનનો સ્વાદ નથી ચાખ્યો.