Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમે જીવનમાં જે મહેનત કરો તે હાડમારી વાળી નહિ પણ પ્રેમ અને આનંદ વાળી હોય તેવી કામના.
કોઈને આદરની દ્રષ્ટિએ ન જુઓ - કોઈને હીનતાની દ્રષ્ટિએ ન જુઓ. જ્યારે તમે બધાને તેઓ જેવા છે તેમ જોશો ત્યારે તમે જીવનમાંથી અસરકારક રીતે પસાર થઈ શકશો.
જો તમે તે સમજો કે બ્રહ્માંડની સરખામણીમાં તમે કોણ છો, તો તમે નરમાશથી જીવશો. તમે જેને પણ સ્પર્શો તે એક આશીર્વાદ બની રહે તેવી કામના.
આસક્તિ ન હોવાનો મતલબ એવો નથી કે સામેલ ન થવું. તમે ઊંડી રીતે સામેલ થઈને પણ ફસાયા વિના રહી શકો.
મૃત્યુને અવગણવું એ સૌથી મોટું અજ્ઞાન છે.
જો પ્રેમ, આનંદ અને પરમાનંદના આંસુઓએ તમને ભીંજવ્યા નથી, તો તમે હજી જીવનનો સ્વાદ નથી ચાખ્યો.
ધ્યાનલિંગ દિવ્યતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. જે પણ અહિયાં આવે છે તે પોતાનામાં મુક્તિના આધ્યાત્મિક બીજના રોપણ વિના નહિ જઈ શકે.
યોગવિજ્ઞાન તમને તમારું જીવન અને એક કોન્સિયસ પ્લેનેટ ઘડવાની ચાવી આપે છે, જેનાથી વ્યક્તિ માટે અને ધરતી પરના બધા જીવો માટે સુખાકારી ઉત્પન્ન થાય છે.
આમ જોઈએ તો જીવનમાં કોઈ સાચો નિર્ણય નથી. જો તમે એક નિર્ણય લો અને તમારું બધું જ તેમાં રેડી દો, તો તે શાનદાર નિર્ણય નીવડશે.
ઈરાદો એક વસ્તુ છે, અને તેનો અમલ અલગ વસ્તુ છે. તમારા જીવનમાં તમે જે તમારો ઈરાદો છે તેનો અમલ કરશો, કે વસ્તુઓને તમારી સાથે આકસ્મિક રીતે ઘટિત થવા દેશો તે એક મોટો સવાલ છે.
અસ્તિત્વ એક આખી સંયુક્ત પ્રક્રિયા છે. તમે એક અલગ વસ્તુ નથી.
તમે પોતે તમારું ભાગ્ય ઘડો છો. પણ જ્યાં સુધી તમે તેને અજાગરૂક રીતે ઘડો છો ત્યાં સુધી તમને લાગે છે કે તે કોઈ બીજી શક્તિ દ્વારા ઘડવામાં આવ્યું છે.