Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
કાર્યક્ષમતા હંમેશા તમારી આસપાસના લોકો પ્રત્યેના પ્રેમ અને કાળજી સાથે હોવી જોઈએ - એક મશીન જેવું બેફિકર કાર્ય નહિ.
સર્જકના સર્જન પર ધ્યાન આપવું તમારા મનમાં તમે જે બકવાસ ઉત્પન્ન કરો છો તેના પર ધ્યાન આપવા કરતાં વધુ મહત્ત્વનું છે.
રહસ્યવાદ ચમત્કારો કરવા વિષે નથી. રહસ્યવાદ જીવનના ચમત્કારની એક ગહન ખોજ છે, જે પાંચ ઈન્દ્રિયોથી જાણી ન શકાય.
જો તમે જીવનને એક સંભાવના તરીકે જોતા હોવ, તો તમે બધે જ સંભાવનાઓ જોશો. જો તમે જીવનને એક સમસ્યા તરીકે જોતા હોવ, તો તમે બધે જ સમસ્યાઓ જોશો.
જો તમે આખા બ્રહ્માંડના સંદર્ભમાં તમારા વિચારોને જુઓ, તો તેમનું કોઈ મહત્ત્વ નથી. જો તમને આ સમજાય, તો તમે સ્વાભાવિક રીતે તમારી વિચાર પ્રક્રિયાથી એક અંતર ઊભું કરશો.
જો તમે ઉલ્લાસપૂર્ણ, આનંદિત અને મસ્ત હોવ, તો તમારી રોગ પ્રતિકારક શક્તિ તમે ચિંતામાં હોવ તેના કરતાં ઘણી વધુ સારી રીતે કામ કરશે. જીવનની પૂર્ણતા સ્વાસ્થ્ય છે.
ખાસ કરીને જો તમારા જીવનમાં અણગમતી વસ્તુઓ થઈ હોય, તો તમારે સમજદાર બનવું જોઈએ, પીડિત નહિ.
એક બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે તે એક મૂર્ખ છે, પણ એક મૂર્ખ વ્યક્તિ નથી જાણતો કે તે એક મૂર્ખ છે.
પ્રેમ લેવડ-દેવડ નથી પણ તમારી અંદરની એક સળગતી જ્વાળા છે. જ્યારે તે તમે જે છો તેના અંતરતમને સળગાવે છે, ત્યારે તે મુક્તિ આપનાર છે.
ઈમાનદારી કે નિષ્ઠા કાર્ય વિષે નથી પણ તેની પાછળના હેતુ વિષે છે. સવાલ એ છે કે, તમે જે કરો છો તે બધાની સુખાકારી માટે કરો છે કે તમારા વ્યક્તિગત લાભ માટે.
તમે આ મનનો ઉપયોગ તમારા માટે સુખાકારીના નિર્માણ માટે કરી શકો છો અથવા તો દુઃખના નિર્માણ માટે. બધા પાસે આ પસંદગી રહેલી છે.
જો માણસો જાગરૂક બને, તો વર્ચસ્વ અને સંધર્ષની જરૂર જતી રહેશે.